દરેક માનવીની જીવન જરૂરીયાત માટે પોતાનું આગવુ ધર હોવું ખૂબ જરૂરી છે. ભારત સરકરારશ્રી દ્વારા ગરીબી રેખા નીચે જીવતા કુટુંબો તેમજ જમીન વિહોણા ખેત મજુરોને મકાન બાંધવા માટે સહાય આપવાની યોજનાઓ અમલમાં મૂકી છે. જેને લીધે કોઇપણ માનવી ઘર વિહોણા રહી ન જાય.
જીલ્લાના આર્થિક અને સામાજીક રીતે પછાત ગામોના વિકાસના કામો જેવા કે પીવાના પાણીની પાઇપલાઇન, પ્રા.શાળાની કંપાઉન્ડ વોલ, પંચાયત ઘર રીપેરીંગ તથા ઢોરને પીવાના પાણીનો હવાડો તેમજ ગામ્ય રસ્તાઓ, વીજળીકરણ વગેરે માટે જરુરી અનુદાન ફાળવાવમાં આવતું હોય છે. જેના થકી ગામ વિકાસના
પંથે જઇ શકે છે.